Pages

Friday, 27 April 2012

અહેસાસ


કોઈ એવું છે જેને મળવાનું મન થાય છે
કોઈ એવું છે જેના સ્પર્શનો અહેસાસ થાય છે
જેમ પવનના લહેરથી ફુલોની ખુશ્બુ રેલાય..
તેમ તેના બદનની સુવાસ મારા હૃદયમાં ફેલાય છે
જેમ દરિયામાં ઉછળતા મોજા ધૂમરાટ કરે...
તેમ તેના દિલની વાત મારા મનમાં ધૂમરાટ કરે છે.
એવું કોણ છે જેના મહેસુસ માત્રથી
હૃદય એકદમ પૂલકિત થઈ જાય.
જેની કલ્પના માત્રથી મન એકદમ
ફૂલોની જેમ ખીલી ઊઠે છે
એવું લાગે છે જાણે પંખીઓનો
કલરવ તેનો સંદેશો લાવ્યા હોય.
હા, કોઈક એવું છે જેને મળવા
મન બેચેન બનેલું છે
હવે એવું લાગે છે કે તે દિવસ દુર નથી
જ્યારે બે દિલ એક થશે..
વૈશાલી પટેલ
(લવાછા વલસાડ)

No comments:

Post a Comment