Pages

Thursday 8 September 2011

દિલના દસ્તાવેજમાં - નીશીત જોશી

દિલના દસ્તાવેજમાં લખેલુ સૌને વંચાવાતુ નથી,
જેને માટેનો છે તેને પણ વધારે સમજાવાતુ નથી,
લખાણ હોય લાંબુ લચક 'ને અક્ષર પણ અજાણ્યા,
હર શબ્દોનુ વજન જગના હિસાબે ઘટાડાતુ નથી,
અઢી અક્ષર કહેવા કરતા હોય લખવા બહુ સહેલા,
લખાણ કોના માટેનુ એ લખ્યુ સૌને જણાવાતુ નથી,
માળાને ડાળથી ઉખાડવાના મનસુબા કદાચ હોય,
પણ પ્રેમપંખીડાના હ્રદયથી પ્રેમઘર ઉખાડાતુ નથી,
સફરના રસ્તાથી અજાણ્યા છતા રહે છે ચાલતા જ,
હમસફર બનાવી સૌને પથરાળ પથે ચલાવાતુ નથી,
અંતરની આ ઉર્મીને સાંચવી કેટલો વખત સંઘરવી,
ઋણાનુબંધન બધા સંગ એક રીતે જ જળાવાતુ નથી,
ઘણા હોય છે ભુલકણા 'ને ઘણા રમીને ભુલી જનારા,
હર ભુલકાઓને તેનુ પ્રેમ પ્રકરણ યાદ કરાવાતુ નથી.
--- નીશીત જોશી

No comments:

Post a Comment