એક કાંઠે તરસ મૂકી હું ચાલી નીકળી
જ્યાં-જ્યાં પગ મૂકું ત્યાં દરિયા નીકળે...
ઢોળાઈ ગયેલા અત્તરની મહેક છે એ
બંધ મુઠ્ઠી ખોલું ને ભાગ્યરેખા નીકળે...
ગણ્યા-ગાંઠ્યા દિવસોનો હિસાબ કરું
સરવાળે રાત મળે ને પછી સૂરજ નીકળે...
કોઈ ન હોય એવી શૂન્યતા શોઘું કે
પરદો ઉઠાવતાં જ સામે મહેફિલ નીકળે...
નસેનસમાં છે બસ એક જ ધબકાર,
હૃદયમાં ડોકિયું કરું તો તારું નામ નીકળે...
ડો. પંક્તિ આલોક પાંચાલ
(ઓહાયો, અમેરિકા)
No comments:
Post a Comment