કોઈની જંિદગીમાં ખુશીનો રસ હોય છે
તો કોઈની જંિદગી ઘણી નીરસ હોય છે.
નથી હોતું દોસ્તો! સર્વસ્વ કોઈ પાસે,
દરેકને કંઈકની તરસ હોય છે.
નથી થતું જંિદગીમાં બઘુ ઈચ્છા મુજબ,
સમય આગળ બધા વિવશ હોય છે.
ઉતાર-ચઢાવ તો જીવનમાં આવતા રહે છે,
કાયમ સરખા ક્યાં સૌના દિવસ હોય છે?
નથી હોતું સૌનું આયુષ્ય એક સરખુ,
કોઈના ઓછા તો કોઈના વઘુ વરસ હોય છે.
- પટેલ સુનિલ સી. તા. જિ. વલસાડ, ઊંટડી
No comments:
Post a Comment