અહીં કે તહીં, ક્યાં છે
રહેઠાણ મારું,
સાંભળ્યું ક્યાંક કોઈક કરે છે મનન મારું.
જાણવા છતાં અજાણ રહેવું સારું,
ભ્રમિત અવસ્થાને કદાચ શૂન્યમનસ્ક મન મારું
સર્વત્ર પ્રણયની વર્ષા, ને ભીંજાય તન
મારું,
બધી જ
ભૌતિકતાની સાથે જળવાય સ્વમાન મારું,
હૃદયમાં સમાવિષ્ટ લાગણીઓથી રચાયેલું ધામ મારું.
સાંભળ્યું ક્યાંક કોઈક કરે છે જતન મારું
બની છે દુનિયા ખુશવંતી ‘શાયર’ તારી
એમાં જ છે રહસ્ય છુપાયેલું કે,
રહે છે પ્રભુ પ્રત્યેની ‘શ્રઘ્ધા’માં હૃદય મારું.
- વિનય બી. પ્રજાપતિ (બિલીમોરા-નવસારી)
No comments:
Post a Comment