Pages

Thursday 23 June 2011

•કોણ કહે છે


·         કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જરા શરીર તાપુ છું.

કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો મૃગજળ પી રહ્યો છું.

કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.

કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે ?
આતો અમસ્તો મેઘધનુષ્યથી આંગણ સજાવી રહ્યો છું.

કોણ કહે છે કે હું મિલનની ઘડીઓ ગણી રહ્યો છું ?
આતો અમસ્તો આકાશના તારલા ગણી રહ્યો છું .

કોણ કહે છે કે મને જીંદગી સાથે પ્રેમ નથી ?
આતો અમસ્તો મોત સાથે સંતાકુકડી રમી રહ્યો છું .

શૈલ્ય

No comments:

Post a Comment