Pages

Saturday 25 June 2011

- ગગનવાસી !

- ગગનવાસી ! ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા ! જીવન કેરો અનુભવ તું કરી તો જો
- સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવાન
ફક્ત એકવાર કાંટા ની પથારી પાથરી તો jo
-જીવન જેવું જીવન તુજ હાથ માં સુપ્રિત કરી દેશું
અમારી જેમ અમને તું એક પળ કરગરી તો જો
-નથી આ વાત સાગર ની આ ભવસાગર ની વાતો છે
અવર ને તારનારા ! તું સ્વયં એને તરી તો જો
- નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે '' નજીર ''
વફા ના શ્વાસ ભરનારા ! મરણ પહેલા મરી તો જો
- નજીર દેખૈયા (ભાવનગર)

No comments:

Post a Comment