Pages

Saturday, 26 May 2012

કાવ્ય

અશક્યતાને શબ્દોના
બંધારણની જરૂર હોય છે,
અને શક્યતાને સ્પર્શના
આવરણની જરૂર હોય છે.
શબ્દોની અસ્તિત્વતાને
શોધવાની જરૂર હોય છે,
રચના ગમે તેવી હોય તેને
વાસ્તવિક્તાની જરૂર હોય છે.
રૂપ-શંિગાર તો હોય પણ
તેને દ્રષ્ટિની જરૂર હોય છે,
હૃદયનું ઊંડાણ ગમે તેવું હોય તેને
ખોળવાની જરૂર હોય છે.
આમ તો પ્રેમમાં કાવ્ય રચાઈ
જ જાય,
પણ તેને એક ‘શાયર’ની
જરૂર હોય છે.
વિનય બી.પ્રજાપતિ બિલીમોરા (નવસારી)

No comments:

Post a Comment