Pages

Thursday 31 May 2012

સ્નેહ સ્મૃતિ

સ્મૃતિઓ જ્યારે સળવળે,
મન તને મળવાને ટળવળે.
તારી સાથે મળે કે ના મળે,
હું તો યાદ કરું તને હરપળે.
તું ગઈ દૂર મારાથી ને,
રહી ગયો માત્ર ખાલીપો.
રાહ, જોઉં છું એવી રાતની,
કે સ્વપ્નમાં યે પળ મળે. જંિદગીની
સફર તો અકળ છે.
કાલની તો કોને ખબર છે?
જીવનમાં જો તારો સાથ મળે,
તો હૈયા ને કંઈ કળ વળે.
- હર્ષદ દોશી (હર્ષ) ઃ (સુરત)

No comments:

Post a Comment