Pages

Saturday 26 May 2012

ૠણાનુ બંધ......

મન ધૂમે ચોતરફ, સાંજ ને સવાર,
ને હૃદયના દ્વાર જાણે અકબંધ છે.
આજ બધાય ને કાલે છૂટે સંબંધ કેવા,
સંયોગ એ ન મળ્યો જે ૠણાનુંબંધ છે.
છૂટ્યા પછી પણ હૃદયમાં છવાયા કરે,
શાશ્વતને પામી શકે એવા સંબંધ ક્યાં છે.
સુખ અને દુઃખ એક જ મનના બે રૂપ,
જાણે પ્રેમ અને વિરહનો સરખો પ્રબંધ છે.
નથી માત્ર શબ્દોની ગોઠવણ કવિતાઓ,
લાગણીના લાસ્યમાં યુગોનો ભાવાનુબંધ છે.
જગમાલ રામ ‘સુવાસ’
(મુ.ખોરાસા-ગીર)

No comments:

Post a Comment