Pages

Tuesday 11 December 2012

વારી જાઉં....



નવરાશને સર્જનમાં ફેરવતો જાઉ,
અંધકારની રોશનીને અજવાળી જાઉં
ક્ષણ, ઘડી, વર્ષોને યુગો વહી જશે,
ભાત મારી દ્રષ્ટિએ એની પાડી જાઉ
સમય અને સંજોગના સુમેળ સર્જાય,
પળની સરળતાને હું માણી જાઉં.
જીવન અને સમયનો અનુબંધ કેવો,
કોઈ જાણે જાણે હું વાત જાણી જાઉં.
પુષ્પની જેમ સમર્પણથીસુવાસફેલાવે,
જીવતરની દિવ્યતાને હું વારી જાઉં.
- જગમાલ રામસુવાસ
(મુ. ખોરાસા-ગીર)

No comments:

Post a Comment