નવરાશને સર્જનમાં ફેરવતો જાઉ,
અંધકારની રોશનીને અજવાળી જાઉં
ક્ષણ, ઘડી, વર્ષોને યુગો વહી જશે,
ભાત મારી દ્રષ્ટિએ એની પાડી જાઉ
સમય અને સંજોગના સુમેળ સર્જાય,
એ પળની સરળતાને હું માણી જાઉં.
જીવન અને સમયનો અનુબંધ કેવો,
કોઈ જાણે ન જાણે હું વાત એ જાણી જાઉં.
પુષ્પની જેમ સમર્પણથી ‘સુવાસ’ ફેલાવે,
એ જીવતરની દિવ્યતાને હું વારી જાઉં.
- જગમાલ રામ ‘સુવાસ’
(મુ. ખોરાસા-ગીર)
No comments:
Post a Comment