Pages

Monday 8 April 2013

ગઝલ


સ્વાર્થની લાગણીમાં અમે સરી ગયા,
વિશ્વાસનું કતલ તેઓ કરી ગયા
પરાયા હોય છે સારા પોતાનાથી,
અહીં પોતાના રસ્તે નડી ગયા.
પ્રેમભર્યા સંબંધોથી  દૂર રહુ છું,
તેઓ પ્રેમ સાથે મસ્તી કરી ગયા.
ન્હોતી રાખી કમી વફામાં  છતા
નામ પોતાનું બેવફામાં લખી ગયા.'
દૂર રહેવામાં ભલાઈ છે 'નરેશ'ની
આકર્ષણમાં પરવાના પણ બળી ગયા.
-
ગોહેલ નરેશકુમાર પાલીતાણા

No comments:

Post a Comment