મળી ગયું મનભાવન, મિલનની પળોમાં.
થયું ઉર-કલેશ શમન, મિલનની પળોમાં
આવ્યો અંત પ્રતિક્ષાનો રૃબરૃ ક્ષણોમાં,
મનને રુચિકર આગમન, મિલનની પળોમાં.
સ્પંદનો, ઝંકારને વળી મૌન નયન-ભાષા,
સોળે કળાએ ખીલ્યું મન, મિલનની પળોમાં.
લાધ્યું સાફલ્ય યૌવનનું પારસ્પારિકતામાં,
પુલકિત મનને વળી તન, મિલનની પળોમાં.
થતી સંતુષ્ટિ મધુ નીતરતા વેણ શ્રવણને,
ના દૂર હોય આપ્તજન, મિલનની પળોમાં,
ઉર-ભાવ બની શબ્દ જીહ્વાથી પ્રગટતા.
ધન્ય થૈ જતાં નયન, મિલનની પળોમાં.
- ચૈતન્ય ચંદુલાલ જોેષી (જામ-ખંભાળિયા)
No comments:
Post a Comment