માયાનું પંિજરું તૂટતા
પંગુ થયેલા
વચન પ્રતિબઘ્ધ ‘પંખીએ’
ડાળી પર રચેલા
પ્રિતડીના માળાની
માવજત સાઠે વરસો ખર્ચી
નાખ્યાં.
પણ-
ડાળી સાથે માળો તૂટતા
પંખીનો આભાસી
‘આતમ’
ચિત્રગુપ્તની લેખા
જોખા કુંડળીની
કર્મમાં અટવાઈ ગયો.
હે સૃષ્ટિ રચૈયતા!
સપ્ત પદીના સાત
ફેરા ફરવા
હજુ કેટલા જનમોનાં
ફેરા લેવા પડશે?
જેણે
પ્રિતની ગરિમા
જાળવી છે
મંદિરમાં દીપી રહેલી તારી મૂર્તિ જેમ!
વિનોદચન્દ્ર બોરીચા
(પ્રભાદેવી-મુંબઈ)
No comments:
Post a Comment