ચણે જો ઇશ્કની ઇમારત
તો પાયાનો પથ્થર બની જાઉં
ને કરે જો સફર
તો સાથે ચાલી-હમસફર બની જાઉં
બોલવા જો ચાહે-પ્રેમની બોલી
દોસ્તો! એનાં અધર બની જાઉં
ને મલવા જો આવે સરીતા જેમ
તો ઘુઘવતો હું સમંદર બની જાઉં
તમન્ના બીજી કોઈ હવે
અમે રાખી નથી દિલમાં
આવે જો એ જિંદગીમાં અમારી
તો સદા એનો દિલબર બની જાઉં.
મણિલાલ ડી. રૃઘાણી (રાણાવાવ)
તો પાયાનો પથ્થર બની જાઉં
ને કરે જો સફર
તો સાથે ચાલી-હમસફર બની જાઉં
બોલવા જો ચાહે-પ્રેમની બોલી
દોસ્તો! એનાં અધર બની જાઉં
ને મલવા જો આવે સરીતા જેમ
તો ઘુઘવતો હું સમંદર બની જાઉં
તમન્ના બીજી કોઈ હવે
અમે રાખી નથી દિલમાં
આવે જો એ જિંદગીમાં અમારી
તો સદા એનો દિલબર બની જાઉં.
મણિલાલ ડી. રૃઘાણી (રાણાવાવ)
No comments:
Post a Comment