દિલમાં જો ડંખ હો એ ડંખનું વર્ણન ન કરો
છે બુરાઈનું જગત કિ ન્તુ સમર્થન ન કરો
સાંત્વન એવું મળે માગીએ પાછું પ્રભુ
એવા હમદર્દ દો દુશ્મનનું વિસર્જન ન હો
કોઈ આદર્શની વાતોને અહીં સ્થાન નથી
એવી નાદાનીથી દુશ્મનને યે દુશ્મન ન કરો
અંધના માટે નકામું છે સૂરજનું વર્ણન
મારા મૂલ્યોનું જગત સામે નિવેદન ન કરો
આશા રાખી ન વફાની શું પ્રણયમાં ઓ ‘નઝીર’
સ્વપ્ન સર્જી ન શકો તો રાતનું સર્જન ન કરો
- નઝીર ભારતી
No comments:
Post a Comment