Pages

Tuesday 17 July 2012

બે-દિલ

મને પ્રેમમાં ઝૂરતો જોઈ
કદાચ પથ્થર પણ પીગળી જાય,
પણ પથ્થર કરતા પણ બદતર
એ દિલ પર કંઈ અસર ન થઈ.
એમના પ્રતાપે મને ઘણું મળ્યું છે
આ ઝખ્મોના રત્નો,
આ આંસુઓના મોતી
પણ, આભાર માનુ ખૂદાનો,
કે તોય આંખો તો
તેમની જ રાહ જોતી.
શબ્દો જ્યારે ‘મૌન’ ધારણ કરે છે,
ત્યારે સમજણથી કામ લેવું પડે છે
પણ, જ્યારે ‘બે-દિલ’ની વાત આવે,
ત્યારે તો કોઈ અંગતનું જ નામ આવી ચડે છે.
હવે, નથી વિશ્વાસ મને
ખુદાની-ખુદાઈ પર
જો તુજ સત્ય હોય તો
‘બે-દિલને’
મેળાવી સાબિત કર કે,
તૂજ ભગવાન છે.
વાઘેલા પ્રદિપસંિહ એસ. (મુ-ગતરાડ)

No comments:

Post a Comment