નઝરમાંથી ચહેરાઓ તો કૈંક નમણાં સરી ગયા,
ઘાયલ બસ એજ કરી ગયા જે હમણાં સરી ગયા.
ચાંદ સુરજ ની જેમ નિશ્ચિત હતા એના રસ્તાઓ,
ઊગમણેથી એ આવ્યા અને આથમણા સરી ગયા.
હજુય ઊંઘમાથી જાગ્યો નથી બસ એજ સાબિતિ છે,
કોણ કહે છે કે મારી આંખમાંથી શમણાં સરી ગયાં.
આયનામાં જ્યારે ખુદને બદલે બીજા કોઇને જોયાં,
હોઠો પર થી "આનંદ" ના સ્મિત બમણા સરી ગયા.
વિનોદ નગદિયા (આનંદ)
No comments:
Post a Comment