દિલની વાત તને
કહીશ ક્યારેક,
મારી સામે જો તું
મલકાઈશ ક્યારેક.
સુરાલયમાં જવાનું તો
રોજનું થયું,
તારી ગલીમાં પણ
નીકળીશ ક્યારેક.
મહેંદી લાગી હોય ભલેને બીજાના નામની,
સપનામાં તને હું દેખાઈશ ક્યારેક.
કોઇક દિ’ દિલથી યાદ કરીને તો જોજે,
તારી આંખથી આંસુ થઈ વહીશ ક્યારેક.
આજ મન ભરીને જોઈ લેવા દે તને,
નહીંતર કબરમાં સળવળીશ ક્યારેક!
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી ‘અજનબી’ (વિરમગામ)
કહીશ ક્યારેક,
મારી સામે જો તું
મલકાઈશ ક્યારેક.
સુરાલયમાં જવાનું તો
રોજનું થયું,
તારી ગલીમાં પણ
નીકળીશ ક્યારેક.
મહેંદી લાગી હોય ભલેને બીજાના નામની,
સપનામાં તને હું દેખાઈશ ક્યારેક.
કોઇક દિ’ દિલથી યાદ કરીને તો જોજે,
તારી આંખથી આંસુ થઈ વહીશ ક્યારેક.
આજ મન ભરીને જોઈ લેવા દે તને,
નહીંતર કબરમાં સળવળીશ ક્યારેક!
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી ‘અજનબી’ (વિરમગામ)
No comments:
Post a Comment