ઝીંકો જો ઘાવ જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?
ભીના પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર …
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું ?
આંખો માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
સપના ઉગાડવાથી કાજળ ને શું થવાનું ?
કંઈ કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?
વંટોળીયા સામે પડે કે તોફાન સૂસવે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?
– દીપક ત્રિવેદી
No comments:
Post a Comment