Pages

Friday, 22 June 2012

શું થવાનું ?

ઝીંકો જો ઘાવ જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?

ભીના પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર …
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું ?

આંખો માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
સપના ઉગાડવાથી કાજળ ને શું થવાનું ?

કંઈ કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?

વંટોળીયા સામે પડે કે તોફાન સૂસવે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?

– દીપક ત્રિવેદી

No comments:

Post a Comment