ખરેખર એ બધી વાતો ખોટી હોતી નથી,
જેને સાચો પ્રેમ મળે એને પ્રેમની કંિમત હોતી નથી.
કોઈને ચાહવાનું સબૂત આપવાની જરૂર નથી,
સાથે જ દિલથી ચાહનારની
ચાહતમાં ખોટ હોતી નથી.
ફુલો ખોટા ગુમાનમાં છે કે
ખૂબસૂરતી પર મરે છે સૌ
એ ખબર ક્યાં કાટાઓ વિના
ફુલોની કોઈ કંિમત હોતી નથી
એતો સારું છે કે લોકોને સંજોગ
કંઈક એવા મળે છે,
નહિ તો આજના માનવીને
ખુદાની પણ કદર હોતી નથી.
કહે છે દુનિયા શ્વાસ પર નહિ
વિશ્વાસ પર ચાલે છે.
પણ કોઈને કોઈના ભરોસાની
કંિમત હોતી નથી.
આજની મહોબ્બતમાં એવી તાકાત કયા પથ્થરને દેવ બનાવી પૂજે
આજના લૈલા-મજનુમા એવી તાકાત હોતી નથી.
પ્રણામી રજનીકાંત ‘‘રાજન’’, (બામણવાડ, જી-સાબરકાંઠા)
No comments:
Post a Comment