કશુંક લખવું છે, કંઈક કહેવું છે,
જીવન બસ એમજ જીવવું છે!
નથી લખી શકતો, નથી કહી શકતો,
છતાંય ‘‘અરમાન’’ કંઈક વ્યાકુળ છે!
જીંદગીની આવી કેવી વિટંબણાં?
માનવી મુંઝવણમાં મુકાય છે!
હર એક ‘‘પથ’’માં કંટક પડ્યા છે,
તમે ફૂલોની આશ ક્યાં રાખો છો?
‘‘વિરાનજીંદગી’’માં પણ હસતા રહો,
બસ... તેનું નામ જ
‘‘ઝીંદાદીલી’’ છે.
એ.પી.મકવાણા ‘‘અમિત’’ (નડિયાદ)
No comments:
Post a Comment