માની લીઘું કે દરિયાના પાણી ખારા હોય છે.
નદીના નીર પણ ખારા હશે મને ક્યાં ખબર હતી,
પ્રેમીજનોને સતાવવા એ દુનિયાની ખૂબી છે,
દુનિયાદારીથી તુ ભરમાશે મને ક્યાં ખબર હતી.
હવે રાહ જોઈને બેસી રહેવું એ મૂર્ખતા લાગે છે,
સાચી મહોબ્બત તું નહીં ઓળખે મને ક્યાં ખબર હતી.
ગઝલ હો કે ગીત તારાથી વધારે શું છે અહીં.
લખીતી ગઝલ તું નહિ સમજે મને ક્યાં ખબર હતી.
ઘર, ગલી ગામ ને જાન પણ ત્યજી દેશું,
પ્રેમમાં થવાશે આટલું પાગલ મને કર્યાં ખબર હતી.
‘‘રાજન’’ પ્રણામી રજનીકાન્ત ઃ (ગામ -બામણવાડ)
No comments:
Post a Comment