Pages

Thursday 23 August 2012

યાદોની વણઝાર


ફાડશે જો મારા દિલને તેઓ
એમાંથી તું સરેઆમ નીકળશે
તારી છબી, તારી ચાહત,
તારી યાદોની વણઝાર નીકળશે.
તારા વગર તારા પર લખી કવિતા
એમાં શું સાર નીકળશે
ચાલ ખુદને ધરું તારી સામે
એમાંથી તું આરપાર નીકળશે.
ખુલ્લી આંખે ખાલી ઘર મારું
બારી ખોલું અંધકાર નીકળશે
સપનાં દેખાડે અરમાન દિલનાં
લાવ, આંખ મીચું સંસાર નીકળશે.
હોઠ પર તારા રાખું ગુલાબ
એમાંથી કોઈ રસધાર નીકળશે
મન તારું રાખજે મનમાં
હસરત દિલની બહાર નીકળશે.
દિલથી દિલને મનાવી તો જો
મિલન કોઈ મજેદાર નીકળશે
બેસ સામે, લખું એક શાયરી
મનમાંજીનુંના ખયાલ હજાર નીકળશે.
જીતેન્દ્ર કુમારજીનું’ (માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment