Pages

Tuesday 14 August 2012

ગઝલ

આહટ-અણસાર તણા ભયે
તુજને ખત લખાય છે,
હવે તો જાણે કિનારાના
નાજુક બંધનો તોડાય છે.
જીવાતું છે નહીં દિલ
પર પથ્થર
મુકીને જરાય,
હવે તો લોકોના ઝેરીલા તીરે દિલ વીંધાય છે.
ચાહે છે મુજને તારી યાદ કેરાં સપનાં અનેરાં,
હવે તો એ દિવમાં પણ ક્યારેક ક્યારેક ડોકાય છે.
ભભુકાય છે દાવાનળ દિલે તવ એક ચિનગારીથી,
હવે તો તારી એક અમી-વાદળીની જરૂર જણાય છે.
છોડ્યો છે સાથ મારો સ્વજનોએ પાગલ સમજી,
હવે તો આપ-ખુદ પાગલખાનું બનો તો જીવાય છે!
લાભેશ સી.શુકલ
(વઢવાણ સીટી)

No comments:

Post a Comment